ભાદરવા સુધ ચોથ ને શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે બડોલી ગામે બાળકો દ્વારા ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવી હતી.બડોલી ગામના રામપુરા ફળી ના ભૈરવધામ મંદિરમાં બાળકો દ્વારા પ્રથમ વાર ગણપતિ બાપ્પા ની સ્થાપના કરી પૂજન કરાયું હતું.
બાળકોએ ખૂબ સુંદર સજાવટ કરી બાપ્પા ની પૂજા અર્ચના કરી હતી.ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ ના નારા સાથે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.