આવતી કાલે ગણેશ ચતુર્થી ને એક દિવસ બાકી હોય બડોલી ગામે નારિયેળ ના રેશના અને માટીના બનાવેલ ગણપતિજી ની ખરીદી માટે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા. શિવ શક્તિ મિશન મંગલ ટ્રસ્ટ ના ઇન્દુસિંહ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે નાની મોટી મળી 350 જેટલી મૂર્તિઓ નું વેચાણ થયું છે. લોકો ઇકોફ્રેન્ડલી મૂર્તિ તરફ વળ્યા છે જે પ્રદુષણ થતું રોકવા માટે ખૂબ મહત્વનું સાબિત થશે. ગણપતિ દાદા ની અલગ અલગ મૂર્તિઓ ગાડીમાં મુકતા સમગ્ર વિસ્તાર ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ થી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.