ઇડર ના કૃષ્ણનગર પાટિયાં એ થી બાઇક ચોરાયું..

0
4

ઇડર..

કૃષ્ણનગર પાટીયાએ પોતાના કારખાના આગળ પાર્ક કરેલ મોટરસાયકલ ચોરાતા ફરિયાદ નોધાઇ

ઇડર તાલુકાના નેત્રામલી ગામના ઉસ્માનભાઇ ગનીભાઇ લુહાર ની માલિકીનું બજાજ ડિસ્કવર-૧૦૦ મોટરસાયકલ નં GJ 9 AS 9362 કિ.રૂ ૨૦ હજારની તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ ની રાત્રીના સમયે હિંમતનગર ઇડર રોડ પર આવેલ કૃષ્ણનગર પાટિયાં નજીક આવેલ અંબીકા માર્બલની પાસે આવેલ પોતાના ન્યુ સુપર ટેંક એન્જીનીયરીંગ વકૅસ કારખાના આગળ પાકૅ કરીને મુકેલ હતુ.જે સવારે ન દેખાતા કોઈ અજાણ્યા ચોર ઇસમે મોટરસાયકલ ચોરી કરી લઇ ગયા હોવાની શંકા જતા ઇડર પોલીસ સ્ટેશને ઉસ્માનભાઇ ગનીભાઇ લુહારે મોટરસાયકલ ચોરી થયા અંગેની ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના હેકો ભુપેન્દ્રસિહે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here