ઇડર..જાદર મુધણેશ્વર મહાદેવ મંદિર ભાદરવા મહીનાં દરમ્યાન ખુલ્લું રહેશે..

0
16

ઇડર તાલુકાનું મુધણેશ્વર મહાદેવ ના મંદિર ખાતે ભાદરવા મહિનાના બીજા સોમવારે દર્શન કરી શ્રીફળ વધેરવા ની પ્રથા વર્ષો થી ચાલતી આવી છે.અહીં સાબરકાંઠાનો જિલ્લા નો મોટો અને ભવ્ય મેળો ભરાતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઈને જાદર ગ્રામ પંચાયત દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .જ્યારે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે.. આ બાબતે મંદિરના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાદાના સાનિધ્યમાં યોજાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે .પરંતુ ભક્તો દ્વારા ભાદરવા મહિનાના બીજા સોમવારે મુધણેશ્વર દાદા ના દર્શન અને શ્રીફળ વધેરવા આવનાર ભક્તો માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે .મંદિરે આવનાર ભક્તો એ કોરોના ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા દાદાના દર્શને આવતા ભકોતો ને જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here