સામાજિક યુવા કાર્યકર અને ભા.જ.પા. આઈ.ટી.સેલના જિ૯લા કારોબારી સદસ્ય નરેન્દ્ર કુલકર્ણીના જન્મદિવસે કુકડીયા ગામની નદી કિનારે આવેલ રામદેવપીર મંદિરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં જિ૯લા પંચાયત સદસ્ય અનસૂયાબેન ગામેતી , ભાજપા યુવા મોરચા જિ૯લા ઉપપ્રમુખ તરૂણ પટેલ, ઈડર તાલુકા યુવા મોરચા પ્રમુખ કમલ પટેલ ,અખીલ ભારતીય પરિસંઘના ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી ઉત્પલ કુલકર્ણી ,શેરપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અમૃત વણકર વગેરે ઉપસ્થિત રહ્યાં.જન્મ દિવસે વૃક્ષારોપણ કરવું એ પ્રકૃતિની અને માનવજાતની સેવા છે એવું જીલ્લા સદસ્ય અનસૂયાબેન ગામેતીએ શુભેરછાઓ આપતાં જણાવ્યું.