આયુષ્યમાંન કાર્ટ ન હોય તો હું અપંગ બની જતું

0
4

એવું જ એક મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના રહેવાસી રિયાઝ ખાન પઠાણ ની અમદાવાદ ના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પોતાનું અભિપ્રાય જણાવ્યું

મધ્યમપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના રહેવાસી રીયાઝ ખાન પઠાણ મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. લાંબા સમયથી કમરમાં દુખાવો રહેતા તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહેતી હતી. ઇન્દોર ખાતેની હોસ્પિટલના તબીબોએ સર્જરીની ખાતરી તો આપી પરંતુ તે સંપૂર્ણપણે સફળ થશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ મૂકી દીધો. વળી આ સર્જરી માટે 3 થી 4 લાખનો ખર્ચ થશે તેમ પણ કહેવામાં આવ્યું. રીયાઝ પઠાણ માટે આટલી માતબર રકમ એકઠી કરવી અસંભવ હતુ. જેથી તેઓએ પીડા સાથે જ જીવવાનું નક્કી કર્યું. સગા-વ્હાલાઓ તરફથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આ પ્રકારની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું એટલે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા. ત્યાં તેમના વિવિધ રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં કમરના L-4 અને L-5 મણકામાં તકલીફ હોવાનું નિદાન થયું. જેના કારણે જ તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહી હતી.જેથી સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ સર્જરી હાથ ધરી. લગભગ ચાર કલાક ચાલેલી સર્જરીના અંતે રીયાઝભાઇની સર્જરીનો અને તેની સાથે લાંબા સમયની પીડાનો પણ અંત આવતા તેઓ પીડામુક્ત બન્યા. આયુષ્માન કાર્ડ અંતર્ગત સમગ્ર સારવાર રીયાઝને નિ:શુલ્ક મળતા તેમની ખુશીનો પાર ન રહ્યો. તેઓએ સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરતા કહે છે કે આયુષ્યમાન કાર્ડ ન હોત તો હું અપંગ બની જતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here