અમીરગઢ
આ બનાવના પગલે અમીરગઢ પોલીસ પોતાના સરકારી વાહન માં ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં અમીરગઢ હાઇવે પર આવેલ હોટલ કોરોના પાસે આ અઠવાડિયામાં ચાર અકસ્માત માં ત્રણ લોકોના મોત થયા જયારે પચાસ લોકો કરતા પણ વધારે ઘાયલ થયા હતા અમીરગઢ નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતા કાર લઈ ચાર મિત્રો કોરોના હોટલ પાસે ટ્રક પાછળ ઘડાકા ભેર ટક્કરાતા ચાર મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેણી જાણ અમીરગઢ પોલીસ ને થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી ઘાયલોને 108 મારફ્તે સારવાર અર્થે ખસેડ્યા હતા પરંતુ 108 ચાર ઘાયલો માંથી માત્ર બે જ વ્યકિત ને લઈ ગયેલ હતી ત્યારે અન્ય બે ઘાયલોને પોલીસે કોઈ પણ જાતનો વિલંભ કર્યા વિના પોતાના સરકારી વાહનમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. લોકો નું કહેવા પ્રમાણે ઘાયલો માટે બે 108 મંગાવેલ હતી પરંતુ એક જ 108 આવત ઘાયલોને પોલીસે પોતાના સરકારી વાહનમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યારે અમીરગઢ પોલીસની લોકોએ પ્રસંસા કરેલ હતી.જ્યાં સારવાર પહેલા એક વ્યક્તિનું મોત થયેલ હતું અન્ય ત્રણ મિત્રો ની હાલત ગંભીર જણાવેલ હતી અકસ્માત ની .જાણ એન એલ એન્ડ ટી કન્ટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજેઠીયાને થતા મોસીન ચાવડા મહેશ પરમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પોહ્ચ્યા હતા. અકસ્મત થયેલ ગાડીને રોડ સાઈડ કરી ટ્રાફિક નિયંત્રણ કરેલ હતું.
અહેવાલ :- ઇમરાન લુહાર
(ઇકબાલગઢ)