આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ પંચમહાલ જિલ્લાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય અતિથિ શ્રી કિરીટભાઈ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ તથા આદરણીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંધચાલકજી પંચમહાલ રાજેશ ભાઇ જોષી.વિષેશ અતિથિ રાષ્ટ્ર સેવિકા સમિતિ જિલ્લા કાર્યવાહીકા શિવાંગી પાઠક.તથા ઇ આઇ શ્રી જિગ્નેશ ભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો જેમાં આચાર્ય સંવર્ગ પ્રાપ્ત મંત્રી જિતેન્દ્ર બારીયા માધ્યમિક સંવર્ગ પ્રાપ્ત મહામંત્રી જિતેન્દ્ર ઠાકર. પ્રાંત માધ્યમિક સમર્થ મહિલા મંત્રી મીરા સાદરીયા મંત્રી જિતેન્દ્ર પરમાર અને ઐમિશ જરસાનીયા આચાર્ય મંત્રી ડી એમ ચોહાણ તથા જિલ્લા ના હોદેદારો તેમજ પંચમહાલ ના શિક્ષક બધુઓ ભગીની ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઇ પટેલે કર્તવ્ય પાલન વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું.ઇ.આઇ જીગ્નેશભાઈ પટેલે વર્તમાન મા જીવીને સ્વ થી સમાજ ના પુનરુત્થાન ની ટકોર કરી.સંઘચાલક રાજેશભાઈ જોષી એ રાષ્ટ્ર ને સર્વોપરી બનાવા આહવાન કયૃઁ.શિવાંગીબેને રાષ્ટ્ર વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.આભારવિધી મીરાબેને કયૃઁ હતુ.સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન વિશાલ એન.પ્રજાપતિ એ કયૃઁ હતુ