અંબાજી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) આરતી તથા દર્શનનો સમય

0
0



શ્રી આરાસુરી અંબજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૦૮ (આઠમ) તા.૨૩/૦૯/૨૦૨૩થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ અંબાજી ખાતે યોજાનાર હોઇ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તો અને જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.

ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી સુદ-૧૫ (પુનમ) સુધી દર્શન તથા આરતીનો સમય
આરતી સવારે- ૦૬.૦૦ થી ૦૬.૩૦ કલાકે
દર્શન સવારે- ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાકે
રાજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાકે
આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે
દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૪.૦૦ કલાક સુધી
તા.૩૦/૦૯/૨૦૨૩ થી આરતી/ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here