અંબાજી પરિક્રમા પથ પર જય જલિયાણ સેવા કેમ્પ અલ્પાહારની આરંભ

0
0

અંબાજી, સંજીવ રાજપૂત: શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે શરૂ થયો છે ત્યારે જાણીતી સેવાભાવી સંસ્થા જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા અંબાજી ગબ્બર પરિક્રમા પથ પર અલ્પાહારની વ્યવસ્થા 51 શક્તિપીઠ મંદિર, નં. 16 થી 25 દસ મંદિર, સંકુલ નં.-8 ગબ્બર પર્વત, અંબાજી ખાતે શરૂ કરવામાં આવી છે.

આ બાબતે સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અમે અંબાજી ગબ્બર પર સેવા કેમ્પ યોજી રહ્યા છીએ, પ્રથમ વર્ષ 2022 માં જ્યારે પરિક્રમા યોજાઈ ત્યારે 30,000 થી વધુ માઈ ભક્તોએ અલ્પાહારનો લાભ લીધો હતો, 2023 માં 70,000 કરતાં વધુ માઈ ભક્તોએ અલ્પાહાર લીધો હતો અને આ વર્ષે પણ વધુમાં વધુ લોકો અલ્પાહારનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવે છે. પ્રથમ દિવસે પહોળી સંખ્યામાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જય અંબે ના નાદ થી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો હતો. અલ્પહાર નો બોહળી સંખ્યામાં શ્રદ્ધાળુ એ લાભ લીધો હતો પાંચ દિવસ ચાલનાર ગબ્બર પરિક્રમામાં ગામેગામથી લોકો ઉમટી પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here