અંજાર સચિદાનંદન મંદિર ખાતે શ્રી સુંદર સાહેબની 223મા જન્મોત્સવ ની ઉજવણી કરાઈ

0
9

તસ્વીર -એહવાલ :દિપક આહીર

આજ રોજ અંજાર સચિદાનંદ મંદિર ખાતે સચિદાનંદ સંપ્રદાયના ધર્મ સ્થાપક આચાર્ય સદગુરુ શ્રી સુંદર સાહેબના 223 મા જન્મોત્વ ની અંજાર ખાતે ઉજવણી કરાઈ હતી સાથે સાથે આજના દિવસે સચિદાનંદ સમ્પ્રદાય દ્વારા શ્રી રાધા કૃષ્ણ વન વિવાહ ઉત્સવ ની ઉજવણી.અને વસંત પાંચમી આમ ત્રણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંજાર સચિદાનંદ મંદિર ના મહંત એ સચિદાનં સંપ્રદાય ના તમામ રસિક ભક્તોને શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા.


હાલમાં સચિદાનંદ સમ્પ્રદાયના 7મા ગાદીપતિ તરીકે ત્રિકમદાસજી મહારાજ બિરાજમાન છે. આજના શુભ દિવસે અંજાર સચિદાનંદ મંદિર તેમજ ગોવર્ધન પર્વત ના દર્સન નું રસિક ભક્તો એ સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ રતનાલ. પાંચોટિયા સતાપર. ગાંધીધામ. આદિપુર માંડવી. મુન્દ્રા. ભચાઉ સહિતના ગામોના રસિક જનો એ વન વિવાહ વસંત પાંચમી ઉત્સવનું લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here