VHP શહેર પ્રમુખ જનક ચૌધરી અને વિક્રમ સગર તથા શિવા સગર અને રમેશ સગર ખાસ હાજર રહ્યા.
તાજેતર માં શેરગઢ માં યુવતી પર હુમલા અને ધંધુકામાં યુવાન ની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વડાલી મામલતદારને આવેદનપત્ર આપવા માં આવ્યું હતું.રાધનપુરના શેરગઢ ગામે લઘુમતી સમાજના યુવકે યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા યુવતીએ લગ્ન કરવાની ના પાડતા ૨૫ વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો કરાયો હતો અને તાજેતર માં ધંધુકા માં હિન્દુ યુવાન ની જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરી હતી જે નાથી હિન્દુ સમાજની લાગણીઓ દુભાતા વડાલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વડાલી મામલતદાર અને પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપી નરાધમો ને કડક માં કડક પગલાભરી કાયદેસર કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે આ પ્રસંગે મંત્રી જનકભાઈ ચૌધરી,સંયોજક રમેશભાઈ સગર અને સહ સંયોજક શિવાભાઈ સગર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી