આજરોજ ૧૬/૦૩/૨૦૨૨ ના રોજ સમગ્ર રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકો નું રસીકરણ ચાલુ થયેલ છે તો રતનપુર પી.એચ.સી દ્વારા પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એસ.એમ.દેવ સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.દીપકભાઈ અનાવાડિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ લોકનિકેતન રતનપુર ,રતનપુર પ્રા.શાળા માં ૧૨ થી ૧૪ વર્ષના બાળકો ને કોરબવેક્સ વેકસીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો .જેમાં રતનપુર ગામના સરપંચ શ્રી સરદારભાઈ બેરાતથા ડેપ્યુટી સરપંચ અસ્વીનભાઈ દેસાઈ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું .જેમાં રતનપુર પી.એચ.સી. વિસ્તાર ના ૨૨૦૦ જેટલા બાળકો ને પ્રથમ ડોઝ આપવાનો થાય છે જેમાં થી પ્રથમ દિવસે ૩૫૦ બાળકો ને કોરબવેક્સ વેક્સીન રસીકરણ કરી કોરોનાથી સુરક્ષિત કરેલ.જેમાં રતનપુર પી.એચ.સી.મેડિકલ ઓફિસર ડો.નિકિતાબેન પટેલ આયુષ એમ.ઓ. ડો પુષ્પાબેન પટેલ , સુપરવાઈઝર કેતનભાઈ સાનોદરિયા ,ઉષાબેન પટેલ ફી.હે.વ. સુનિતાબેન પરમાર ,મપહેવ અજયભાઇ બારોટ તથા આશાબહેનો ચંદ્રિકાબેન અને રેખાબેન એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી