જનતા કલીનીક પર ફરજ બજાવતા કમૅચારીઓને આશિર્વાદ સાવૅજનિક ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ વિતરણ કરાયા..
પાટણ તા.1
કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પાટણ શહેરમાં વોર્ડ નંબર ૮,૯,૧૦ માં ડોર ટુ ડોર ફરીને ધન્વન્તરિ રથ ની બહેનો દ્વારા કોરોના દર્દીઓનું સર્વે કરવામાં આવી રહ્યું છે
ધન્વંતરિ રથ માં ફરજ બજાવતા કમૅચારીઓ ની આ આરોગ્ય સુવિધા ધરે ધરે જઈને ઉપલબ્ધ બનાવવાની કામગીરી શહેરીજનો માં સરાહનીય બની છે.તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાયૅરત કરવામાં આવેલ જનતા ક્લિનિક ઉપર ખડે આરોગ્ય ની પગે સેવા આપતાં સ્ટાફ તથા ફરજ પરની બહેનોને આશિર્વાદ સાર્વજનીક વિકાસ ટ્રસ્ટ પાટણના જનરલ સેક્રેટરી ઇસ્માઇલ મન્સૂરી તથા મંત્રી આરિજ સૈયદ તરફથી ફૂડ પેકેટ નું વિતરણ કરાતાં તેઓની સેવાકીય પ્રવૃત્તિ પણ લોકો માં સરાહનીય બનવા પામી છે.
રીપોટર. નિલેશ પટેલ પાટણ