પવિત્ર શ્રાવણ માસના આજે અંતિમ દિવસે હર હર મહાદેવના નાદ થી શિવાલયો ગુંજ્યા શિવ ભગવાન માટે આખો શ્રાવણ માસ શિવાલયો ભક્તિમય વાતાવરણ બની જાય છે શ્રાવણ માસ માં ભોળાનાથ દેવોના દેવ એવા મહાદેવ ને બિલી પત્રો તેમજ કમળ જેવા પુષ્પ થી પૂજન કરાય છે આજે શ્રાવણ માસ ના છેલ્લા દિવસે એટલે કે અમસાના રોજ વાવ તાલુકાના ગામે ગામ શિવ મંદિરે હવન યોજાયા હતા જ્યારે ધરાધરા ગામે કાશીવિશ્વનાથ મહાદેવ ના મંદિરે હવન યોજાયો હતો આપ પ્રંસગે ગામના વડીલો યુવાનો શિવ ભક્તો હાજર રહી હવન નો લાભ લીધો હતો સૌ એ હર હર મહાદેવ ના નાદ થી વાતવરણ ભક્તિમય બનાવી દીધું હતું
અહેવાલ ત્રિકમભાઈ ઠાકોર વાવ