સાબરકાંઠા જિલ્લાના તલોદ ના તાલુકા ના ગામડાઓમાં જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી ઉમંગ અને ઉલ્લાસ ભેર ઉજવાઇ રહી છે ત્યારે તલોદ ના ધનપુરા ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રિના આઠમાં દિવસે વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિવાસી નૃત્ય ભારતમાતા ની થીમ ,પોલીસ ની થીમ ,રજવાડી થીમ જેવી અલગ અલગ થીમો રજૂ કરી ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા ત્યારે ભારત માતા ની થીમ સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે યુવાનો તેમજ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ધૂમતા જોવા મળ્યા હતા
કમલેશ પટેલ