થોડો સમય પહેલા જ મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણમાસ નિમિતે 21 કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું હતું આ તકે મોરબી માળિયા વિધાનસભાની બેઠક ની પાંચ પાંચ વખત નેતૃત્વ કર્યું છે એવા મોરબી ના પૂર્વ બાહોશ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો પરિવાર પણ ત્યાં હાજર હતો ત્યારે આગામી દિવસોમાં વિધાનસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને મેદાનમાં આવવા માટે આહ્વાન પણ કર્યું હતું આ તકે
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને કહ્યું હતું કે , ૩૫ વર્ષના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મને ગૃહરાજ્ય મંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને મે છોડી ન હતી અને આજની તારીખે પણ લોકોના કામ કરું છે અને કરતો જ રહીશ . તેમજ આગામી ચૂંટણીને લઈને તેઓએ કહ્યું હતું કે , લોકોની લાગણીના કારણે હું ફરી પાછો પટ્ટમાં આવીશ અને પહેલા કરતાં વધુ વટ સાથે આવીશ આટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે , “ આજની તારીખે પણ આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ સારું જ છે વચ્ચે બે થી પાંચ ડભોરિયા છે તેના નામ મારે લેવા નથી તે સમજી જ જશે અને તેનાથી હું ડરતો નથી ” આ નિવેદન કરવામાં આવ્યું હતું તેના થોડોક દિવસો બાદ અચાનકજ કાંતિભાઈ અમૃતિયા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવા પહોચ્યા હતા અને આવનારી ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં મોરબી માળિયાની શીટ ઉપર નવાજૂની એંધાણ વર્તાય રહ્યા છે
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી