કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો…….

0
21
         માન્ય.ગુજરાત સરકાર રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષસ્થાને અને બનાસડેરીના નવનિયુક્ત ચેરમેનશ્રી અણદાભાઈ આર.પટેલ ની વિષેશ ઉપસ્થિતિ માં ડુંગરાસણ મુકામે સેવાસેતુ કાર્યક્રમ.....

ગુજરાત સરકાર દ્વારા વિવિધ લાભો જેવાકે રેશનકાર્ડ,આધારકાર્ડ, આયુષ્યમાન ભારતકાર્ડ,કોરોના મૃત્યુ સહાય,વૃદ્ધ સહાય,જાતિ આવકના દાખલા,વિધવા સહાય યોજના,વયવંદના યોજના,આરોગ્યલક્ષી,કૃષિલક્ષીના વિવિધ લાભો અને આવા 57 જેવા લાભો લોકોને ઘરઆંગણે એજ દિવસે મળી રહે તે હેતુસર ડુંગરાસણ ગામે સેવાસેતુ કાર્યક્રમ માં વિવિધ લાભો જનતા ને મળી રહે….

ગામડાઓના લાભાર્થીઓને વિવિધ લાભો ડુંગરાસણ ગામે સેવાસેતુ કાર્યક્રમ દ્વારા તમામ લાભો આપવામાં આવ્યા.

      સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ શિહોરી તાલુકા મામલતદાર શ્રી એમ ટી રાજપૂત. ટીડીઓ શ્રી રમીલાબેન પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી ડાયાભાઇ પીલિયાતર,જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઇશ્ર્વરભાઈ પટેલ,મહામંત્રીઓ ઈશુભા વાઘેલા અને અમીભાઈ દેસાઈ , અને ડેલીકેટશ્રીઓ,સરપંચ શ્રી ઠાકોર વિક્રમજી ગંભીરજી તેમજ સરકારના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણપતભાઇ દરજી દ્વારા કરવામાં આવ્યું હતી...

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર
કાંકરેજ… બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here